રાધિકા ખેડા થઈ ભાવુક: કોંગ્રેસ નેતાઓ પર લગાવ્યા ગંભીર આરોપ
- 06 May, 2024
કોંગ્રેસમાંથી રાજીનામું આપનારી રાધિકા ખેડાએ નવી દિલ્હીમાં પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા છે. રાધિકાએ આરોપ લગાવ્યો છે કે તેની સાથે બંધ રૂમમાં ખરાબ વર્તન કરવામાં આવ્યું છે. જોકે તેમની મદદ માટે કોઈ જ આગળ આવ્યું નહોતું. તેમણે રાહુલ ગાંધીથી લઈને પ્રિયંકા ગાંધી તમામની મદદ માંગી હતી. જોકે રાધિકાનું કહેવું છે કે તે કાયદાકીય લડાઈ લડશે અને આરોપીઓને સજા અપાવશે.
બંધ રૂમમાં પોતાની સાથે થયેલા ખરાબ વર્તનની વાત કરતા રાધિકા ખેડાએ કહ્યું કે હું પહેલેથી સાંભળતી આવી છું કે કોંગ્રેસ સનાતન ધર્મ વિરોધી છે. હું ક્યારેય તેની પર ભરોસો કરતી નહોતી. જ્યારે હું રામલલાના દર્શન કરવા માટે ગઈ તો સત્યતા સામે આવી. હું પોતાની માતાને અયોધ્યા લઈને ગઈ અને રામમય થઈ ગઈ. ધ્વજ લગાવ્યો તો કોંગ્રેસના લોકો વિરોધમાં આવી ગયા. મને દરેક જગ્યાએ અપમાનિત કરવાની શરૂઆત થઈ. મારા ચરિત્ર પર સવાલ ઉઠવાની શરૂઆત થઈ. રાધિકાએ જણાવ્યું કે ઘટનાની માહિતી તેમને લગભગ બધા મોટા કોંગ્રેસી નેતાઓને આપી હતી. જોકે કોઈએ તેમની મદદ નહોતી કરી.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ